
ઉત્સવની મોસમની શરૂઆત પૂર્વે ભારતીય રેલ્વેએ મુસાફરોની સુવિધા માટે અનેક નિર્ણયો લીધા છે. આ વ્યસ્ત રૂટ પર ટ્રેનોની સંખ્યા અથવા વધુ ટ્રેનોની ગતિ વધારી શકે છે. મુસાફરોને પડતી મુશ્કેલીઓને દૂર કરવા માટે રેલ્વે ૧૦ ઓક્ટોબરથી ટિકિટ આરક્ષણ ચાર્ટ સંબંધિત નિયમોમાં ફેરફાર કર્યો છે. આ નિયમો આજથી અમલમાં છે.
નવા નિયમ મુજબ રેલવેનો બીજો રિઝર્વેશન ચાર્ટ હવે ટ્રેન રવાના થતાં ૩૦ મિનિટ પહેલા બનાવવામાં આવશે. એટલે કે, મુસાફરો હવે ટ્રેન નીકળવાના ૩૦ મિનિટ પહેલાં પણ ટિકિટ બુક કરાવી શકશે. આ માટે રેલ્વે ઇન્ફર્મેશન સિસ્ટમ સેન્ટર (સીઆરઆઈએસ) સોફ્ટ્વેરમાં જરૂરી ફેરફાર કરવામાં આવ્યા છે.
ખાસ વાત એ છે કે આ ચાર્ટ ટ્રેન જવાથી ૫ મિનિટ પહેલાં સુધી બનાવી શકાય છે, જ્યારે પ્રથમ ચાર્ટ ચાર કલાક પહેલાં તૈયાર થાય છે. રેલ્વેની આ નવી સિસ્ટમથી તે મુસાફરોને લાભ થશે જેને અચાનક ક્યાંક જવાની યોજના થઇ છે અથવા ઇમર્જન્સીની સ્થિતિમાં, તેઓ ઉતાવળમાં રેલ્વે સ્ટેશન પહોંચે છે. ઑનલાઇન અને પીઆરએસ ટિકિટ કાઉન્ટરોથી ટિકિટ બુકિંગ કરી શકાય છે.
આ ફેરફાર સાથે હવે મુસાફરોને ટ્રેન છૂટતા પહેલા ટિકિટ બુક કરાવવા માટે વધુ સમય મળશે. કોરોના દરમિયાન, ચાર્ટ ૩૦ મિનિટને બદલે ૨ કલાક પહેલા બનીને તૈયાર થઇ જતો હતો, જેના કારણે મુસાફરોને વધુ સમય મળી શકતો ન હતો.