1. અમદાવાદ ૪ જુલાઈના રોજ યોજાનારી રથયાત્રાની સુરક્ષા માટે સમીક્ષા બેઠક યોજાઈ, મંદિરમાં તૈયારીઓ પુરજોશમાં
અમદાવાદ ૪ જુલાઈના રોજ નીકળનારી ભગવાન જગન્નાથજીની ૧૪૨ રથયાત્રાને અનુલક્ષીને રાજયના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ આજે ક્રાઇમ બ્રાન્ચ ગાયકવાડ હવેલી ખાતે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે રથયાત્રાની તૈયારીઓ અંગે સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં રથયાત્રાની સુરક્ષાને લઈને તમામ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. તેમજ પોલીસતંત્ર દ્વારા હાથ ધરવામાં આવી રહેલી વ્યવસ્થાની પણ સમીક્ષા કરવામાં આવી હતી.
2. અમદાવાદ ૪ જુલાઈના રોજ યોજાનારી રથયાત્રાની સુરક્ષા માટે સમીક્ષા બેઠક યોજાઈ, મંદિરમાં તૈયારીઓ પુરજોશમાં
અમદાવાદ શહેરમાં ૪ જુલાઈના રોજ ભગવાન જગન્નાથની ૧૪૨મી રથયાત્રા માટેની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. જેમાં રથયાત્રા પૂર્વે યોજાતી જળયાત્રા ૧૭ જુનના રોજ યોજાઈ હતી. જેમાં જેમાં ગજરાજની આગેવાનીમાં ૧૦૧ ધ્વજપતાકા,૧૦૮ પારંપરિક કળશ, ડંકા-નિશાન, છત્ર-ચામર સાથે ભવ્યાતિભવ્ય જળયાત્રાનીકળી જેમાં સંખ્યામાં ભાવિકો જોડાયા હતા.
3. અમદાવાદ ૪ જુલાઈના રોજ યોજાનારી રથયાત્રાની સુરક્ષા માટે સમીક્ષા બેઠક યોજાઈ, મંદિરમાં તૈયારીઓ પુરજોશમાં
જેમાં જળયાત્રા બાદ ભગવાન મામાના ઘરે જવાના હોઈ મોસાળ વાસીઓમાં પણ જગન્નાથમય બન્યા છે.જળયાત્રા બાદ ૧૫ દિવસ સુધી ભગવાન જગન્નાના દર્શન મંદિર થતા નથી. તેમને રથયાત્રાના આગળના દિવસે મંદિરમા લાવવામાં આવે છે અને નેત્રોત્સવ યોજવામાં આવે છે. ભગવાન જગન્નાથનીજી ૪ જુલાઈના રોજ નીકળનારી રથયાત્રા માટે અમદાવાદના જમાલપુર સ્થિત મંદિરમાં તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. જેમાં લોકોને પ્રસાદરૂપે આપવામાં આવનારા કેસરી પટ્ટાની સિલાઈ કરી તેને મંદિરમાં તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત ભગવાન જગન્નાથજીને માટે મગના પ્રસાદ માટે તેની સાફસફાઈ કરવામાં આવી રહી છે.
4. અમદાવાદ ૪ જુલાઈના રોજ યોજાનારી રથયાત્રાની સુરક્ષા માટે સમીક્ષા બેઠક યોજાઈ, મંદિરમાં તૈયારીઓ પુરજોશમાં
ભગવાન જગન્નાથનીજી ૪ જુલાઈના રોજ નીકળનારી રથયાત્રા માટે ત્રણેય રથોનું સમારકામ કરવામાં આવી રહ્યું છે .તેમજ તેને કલર કરીને નવા રૂપરંગ આપવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત સમગ્ર મંદિર પરિસરને લાઈટ અને રોશનીથી શણગારવામાં આવી રહ્યું છે. તેમજ ભાવિક ભક્તોના દર્શન માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
5. અમદાવાદ ૪ જુલાઈના રોજ યોજાનારી રથયાત્રાની સુરક્ષા માટે સમીક્ષા બેઠક યોજાઈ, મંદિરમાં તૈયારીઓ પુરજોશમાં
તેમજ અમાસના દિવસે ભગવાન જગન્નાથજી, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા નગરયાત્રાએ નીકળે છે. જેની ભાવિકો આતુરતાથી રાહ જોતા હોય છે. જેમાં ભગવાન પોતે લોકોને દર્શન આપવા માટે નગરયાત્રા આવતા હોવાથી લોકોમાં ખાસ્સો એવો ઉત્સાહ જોવા મળે છે.