1. દિશા વાકાણી
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ના ફેંસ માટે બેડ ન્યૂઝ છે. હવે આવનાર એપિસોડમાં તમે ટપ્પુ કે પાપા અને દયા બેન વચ્ચેની મીઠી નોક-જોક જોઈ શકશો નહિ. દિશા વાકાણી ઉર્ફે દયાબેને શોમાં વાપસી ના કરવાનું મન બનાવી લીધું છે.
2. દિશા વાકાણી
થોડા દિવસ પહેલા ખબર આવી હતી કે, દિશા વાકાણી બહુ જલ્દી શોમાં વાપસી કરવા જઈ રહી છે. દિશાએ શોમાં વાપસી કરવા માટે ઘણી મોટી શરતો મેકર્સ સામે રાખી હતી પરંતુ હવે એવી ખબર સામે આવી રહી છે કે, દિશાએ શો છોડવાનો નિર્ણય કરી લીધો છે. દિશા છેલ્લા ૧ વર્ષ કરતા વધારે સમયથી મેટરનીટી લીવ પર છે.
3. દિશા વાકાણી
દિશા વાકાણીના શો છોડવા પાછળ ૨ મોટા કારણ જણાવવામાં આવી રહ્યા છે. પહેલું કારણ દિશા વાકાણી આ સિરીયલમાં ફરીથી વાપસી માટે વધારે ફીસ લેવા માંગે છે. જે કદાચ મેકર્સને મંજૂર નથી. બીજી તરફ, એવો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે, તે તેના બાળકની દેખરેખ કરવા માંગે છે, જેના કારણે તે શોમાં ફરીથી આવવા માટે માનસિક રૂપથી તૈયાર નથી.
4. દિશા વાકાણી
મેટરનીટી લીવ પર ગયા પહેલા દિશા દરેક એપિસોડના ૧.૨૫ લાખ ચાર્જ કરતી હતી પરંતુ પછી દિશાએ ૧.૫૦ લાખ રૂપિયાની માંગણી કરી હતી. આ સિવાય તે કોઈપણ પરિસ્થિતિમાં સાંજે ૬ વાગ્યાથી વધારે કામ કરશે નહિ. દિશા બપોરે ૧૧ થી સાંજે ૬ વાગ્યાની શિફ્ટમાં કામ કરશે. એટલું જ નહિ દિશા મહિનામાં ૧૫ દિવસ જ કામ કરશે જ્યારે અન્ય એક્ટર્સ ૨૨-૨૫ દિવસ કામ કરે છે. કદાચ મેકર્સ દિશાની આ માંગથી સહમત હતા નહિ.
5. દિશા વાકાણી
'હે માં માતાજી...' ફેમ દયાબેનના ફેંસ અત્યારે તેમને સિરીયલમાં ખૂબ મિસ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, સિરીયલમાં દયાબેનનો રોલ દિશા વાકાણી પ્લે કરી રહી છે. ઘણા લાંબા સમયથી આ સિરીયલ ટીઆરપીની યાદીમાં ટોપ ૧૦ શોમાં પોતની જગ્યા બનાવેલ છે. 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ની ફેવરેટ એક્ટ્રેસ દયાબેન એટલે કે દિશા વાકાણીએ ૩૦ નવેમ્બર ૨૦૧૭ ના રોજ એક પુત્રીને જન્મ આપ્યો હતો.
6. દિશા વાકાણી
ફેમસ કોમેડી સીરીયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં' માં પોતાના અલગ ફની ડાયલોગ અને કમાલની અદાકારીથી ઘરઘરમાં પોતાની ઓળખાણ બનાવનારી દયા ભાભીનાં રૂપમાં ફેમસ અભિનેત્રી દિશા વાકાણી અત્યારે ઘરદીઠ ફેમસ છે. દિશાએ ૨૦૧૫ માં મયુર પંડ્યા સાથે મેરેજ કર્યા હતા. દિશા વાકાણી સિરીયલ સિવાય ઘણી ફિલ્મો જેવી કે, શાહરૂખ ખાનની દેવદાસ, આમિર ખાનની મંગલ પાંડે : ધ રાઈજિંગ, સી કંપની અને હૃતિક રોશનની જોધા અકબર, લવ સ્ટોરી ૨૦૫૦ જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે.