1. ભારતના કથિત લાપત્તા પાયલોટના સોશિયલ મીડિયામાં ફોટો અને વિડીયો વાયરલ
જમ્મુ કાશ્મીરમાં ભારત અને પાકિસ્તાનના એરફોર્સના વિમાન વચ્ચે થયેલા એરિયલ એન્ગેજમેન્ટમાં ભારતનું એક મીગ વિમાન તૂટી પડી ગયું હોવાનું ભારતના વિદેશ મંત્રાલયે સ્વીકાર્યું છે. તેમજ કહ્યું છે કે આ અભિયાનમાં મીગ -૨૧ વિમાન તૂટી પડ્યું હતું તેમજ એક પાયલોટ લાપત્તા છે. તેમજ પાકિસ્તાને દાવો પણ કર્યો છે કે એક પાયલોટ તેમની કસ્ટડીમાં છે.
2. ભારતના કથિત લાપત્તા પાયલોટના સોશિયલ મીડિયામાં ફોટો અને વિડીયો વાયરલ
જો કે પાકિસ્તાનના કબજામાં રહેલા આ પાયલોટનો ફોટો અને વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યો છે. તેમજ એક ટ્વીટર યુઝરે આ પાયલોટની ઓળખ પણ લખી છે અને તે ભારતીય છે કે નહીં તેની ઓળખ કરવા પણ જણાવ્યું છે. જેમાં લખવામાં આવ્યું છે કે તેનું નામ વિંગ કમાન્ડર અભીનંદન છે અને તેમનો સર્વિસ નંબર ૨૭૯૮૧ છે હોવાનું જણાવવામાં આવ્યું છે. તે આ દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયા છે.
3. ભારતના કથિત લાપત્તા પાયલોટના સોશિયલ મીડિયામાં ફોટો અને વિડીયો વાયરલ
પાકિસ્તાન વાયુ સેનાના યુદ્ધ વિમાન ભારતીય સીમાનું ઉલ્લંધન કરીને અંદર ધુસી આવ્યા હતા. પરંતુ ભારતીય વાયુસેનાની સતર્કતાને પગલે તે તરત જ પાછા ફરી ગયા હતા. તો બીજી તરફ ભારતીય વાયુસેનાનું એક યુદ્ધ વિમાન ઉડવાની સાથે જ ક્રેશ થઈ ગયું હતું. જેમાં બે પાયલોટ શહીદ થયા છે.
4. ભારતના કથિત લાપત્તા પાયલોટના સોશિયલ મીડિયામાં ફોટો અને વિડીયો વાયરલ
પાકિસ્તાનના ત્રણ લડાકુ વિમાનો જમ્મુ કાશ્મીરના નૌશુરા સેકટરમાં ભારતીય સીમામાં દાખલ થયા હતા. તે પુંછ અને રાજૌરી સુધી ગયા હતા. પરંતુ ભારતીય વાયુસેના તેમનો પીછો કરતા તેમણે પરત ફરવું પડ્યું હતું. તેમજ ભારતે સતર્કતાના ભાગરૂપે શ્રીનગર, લેહ, જમ્મુ અને પઠાણકોટમાં હવાઈ ઉડ્ડયન પર રોક લગાવી દીધી છે.