ગુજરાત ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યુ હતુ કે, હાલમાં જ ૧૦ નગરપાલિકાની ૧૫ બેઠકોની પેટાચૂંટણીઓમાંથી ૧૧ બેઠકો પર ભાજપાના ઉમેદવારોને પ્રજાના આશીર્વાદ મળ્યા છે.જેમાં આજે આવેલ પેટા ચૂંટણીનાં પરિણામોમાં ભાજપા પાસે અગાઉ ૬ બેઠકો હતી તેમાં વધારો થતાં ગુજરાતની આ પેટાચૂંટણીઓમાં કુલ ૧૧ બેઠકો પર કમળ ખીલ્યુ છે. જ્યારે કોંગ્રેસ પાસે ૭ બેઠકો હતી જે પેટાચૂંટણીઓમાં ૩ ઉપર અટકી ગઇ છે. આમ, કોંગ્રેસ હંમેશા સતત પરાજય બાદ વિખેરાતી જાય છે. આમ, જનતાના આશીર્વાદ, જનમત અને જનસમર્થન ભાજપા સાથે છે તેની પ્રતિતિ કોઈપણ ચૂંટણીનાં પરિણામોથી થાય છે.
પંડ્યાએ વધુમાં જણાવ્યુ હતું કે, મુખ્યમંત્રી વિજય રુપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની આગેવાની ચાલતી ભાજપ સરકાર લોક કલ્યાણનાં કાર્યો અને પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી ની આગેવાનીમાં સંગઠન શક્તિને કારણે દરેક નાની-મોટી ચૂંટણીઓનાં પરીણામોમાં ગુજરાતની જનતાએ જે રીતે ભાજપામાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે તેના પરથી પ્રતિતિ થાય છે કે જનતા જનાર્દને હંમેશા ભાજપાની વિકાસની રાજનીતિને સ્વીકારી છે અને જે તે નગરપાલિકામાં જનતાજનાર્દને ભાજપાના ઉમેદવારોને આશીર્વાદ આપ્યા છે.
જયારે ત્રણ બેઠકો પર કોંગ્રેસે વિજય મેળવ્યો છે.