ગુજરાત વિધાનસભામા રાજય સરકારે જાહેર કરેલા બાળકોમાં કુપોષણના આંકડા ચિંતાજનક છે. જેમાં સરકારે જાહેર કરેલ આંકડાઓ મુજબ રાજયમાં ૧,૪૨,૧૪૨ બાળકો કુપોષિત છે .જેમા આદિવાસી જીલ્લા દાહોદમાં આ પ્રમાણ સૌથી વધારે છે. દાહોદમાં ૧૪,૧૯૧ બાળકો એટલે કે કુલ કુપોષિત બાળકોના ૧૦ ટકા બાળકો દાહોદમાં હોવાનું સામે આવ્યું છે.
આ ઉપરાંત સરકારે જાહેર કરેલા આંકડા મુજબ સાબરકાંઠા ૭૭૯૭ અરવલ્લી ૩૫૫૧ છોટા ઉદેપુર ૭૦૩૧, નર્મદા ૧૨૬૩૧, સુરેન્દ્રનગર ૫૫૪૯, ભરૂચ.૩૫૬૦, નવસારી. ૧૩૨૧, દાહોદ.૧૪૧૯૧, પંચમહાલ ૬૧૫૧, જુનાગઢ ૨૨૭૮, પોરબંદર ૪૬૯, તાપી ૩૧૯૪, ડાંગ ૩૩૨૪, મોરબી ૧૪૩૮, રાજકોટ ૩૦૧૨, ગીર સોમનાથ ૧૦૭૬, ભાવનગર ૭૦૪૧, વડોદરા ૬૮૫૪, આણંદ૬૦૨૬ , વલસાડ ૧૫૮૨, કચ્છ ૨૪૧૪, પાટણ ૪૩૩૪, બનાસકાંઠા ૬૦૭૧, મહેસાણા ૧૨૪૮, ખેડા ૭૦૨૧, મહીસાગર ૪૦૯૮, અમરેલી ૨૨૩૬, બોટાદ ૭૫૮, જામનગર ૨૭૦૪, દેવભૂમિ દ્વારકા ૧૬૧૮, અમદાવાદ ૧૯૨૫, ગાંધીનગર ૪૨૬૫ બાળકો કુપોષણનો શિકાર બન્યો છે.
આ આંકડાઓ પર નજર કરીએ સ્પષ્ટ થશે તો આદિવાસી જીલ્લાઓ દાહોદ અને નર્મદામાં બાળકોમા કુપોષણ વધુ જોવા મળ્યુ હતું. આ ઉપરાંત ગ્રામીણ કરતા શહેરી વિસ્તારોમાં બાળકોમાં કુપોષણ જોવા મળ્યું છે. તેમાં વડોદરા શહેરમા સૌથી વધારે કુપોષણ જોવા મળ્યું છે.