ગુજરાતના વડોદરા એરપોર્ટ પરથી એક મોટી દુર્ઘટના ટળી છે. આ એરપોર્ટ પરના પ્લેન કાર્ગોના પાર્સલમાંથી આરડીએકસ મળી આવ્યો હતો. જેને સુરક્ષા મોટી ભૂલ ગણવામાં આવી રહી છે. આ પાર્સલને પંજાબ મોકલવામા આવી રહ્યું હતું. તેની પર પંજાબનું એડ્રસ લખવામા આવ્યું હતું.
તેમજ સુરક્ષા એજન્સીઓની એલર્ટનેસના લીધે એક મોટી આતંકી ઘટના ટળી છે. રક્ષા નિષ્ણાતોના મતે આ પ્રકારનું પાર્સલ મળવું મોટી સફળતા છે. વડોદરા દેશનું સૌથી વ્યસ્ત કાર્ગો ટર્મિનલ છે. આ પાર્સલ સૌથી પહેલા એયરલાઈન્સ સ્ટાફના ધ્યાનમા આવ્યું હતું. પાર્સલ શંકાસ્પદ જણાતા તેની સુચના સુરક્ષા અધિકારીઓને આપી હતી.
સુરક્ષા કર્મચારીઓએ આ પાર્સલને ચેક કર્યું હતું. જેમાં આરડીએકસ હોવાનું બહાર આવ્યું હતું. આ ઘટનાને પંજાબના ખાલીસ્તાની આતંકીઓની સક્રિયતાને લઈને જોવામાં આવી રહી છે. આ કારગોને વડોદરાના રજીસ્ટર કાર્ગોમાંથી બુક કરવામાં આવ્યો હતો. તેમજ સુરક્ષા એજન્સીઓ હવે એ બાબતની તપાસ કરવામા વ્યસ્ત છે કે આ પાર્સલ એકલું મોકલવામા આવ્યું હતું કે તેની સાથે કોઈ વ્યક્તિ હતું કે નહીં.
સુરક્ષા એજન્સીઓ આ પાર્સલ મોકલનારા વ્યક્તિની તપાસ કરવામાં લાગી છે. કારણ કે ગુજરાત અને પંજાબ બંને સીમાવર્તી રાજયો છે. તેવા સમયે સમગ્ર ઘટનાને સુરક્ષાની દ્રષ્ટિથી પણ મહત્વની માનવામાં આવી રહી છે.