કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને પ્રમુખપદ છોડવાના પોતાના નિર્ણયને યથાવત રાખવાની મક્કમતાને લઈને કોંગ્રેસમા રાજીનામાનો દોર શરૂ થયો છે. જેમાં ગોવાના કોંગ્રેસ અધ્યક્ષ અને દિલ્હીના કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સહિત ૧૨૦ પદાધિકારીઓએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે.
લોકસભા ચુંટણી પક્ષની હાર બાદ કોંગ્રેસ પક્ષના અનેક પદાધિકારીઓએ છેલ્લા ત્રણ દિવસમા પોતાના હોદ્દા પરથી રાજીનામાં આપવાની શરૂઆત કરી છે. જેના લીધે રાહુલ ગાંધી સ્વતંત્ર રીતે પોતાની નવી ટીમ બનાવી શકે. જેમાં સૌથી પહેલા ગુરુવારે કોંગ્રેસના આરટીઆઈ અને લીગલ સેલના ચેરમેન વિવેક તનખાએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. જેની બાદ શુક્રવારે દેશના અલગ અલગ રાજ્યોમાંથી પદાધિકારીઓના રાજીનામાના પત્ર આવવાની શરૂઆત થઇ છે.
જેમાં શુક્રવારે ઉત્તર પશ્ચિમ દિલ્હીના પાર્ટીના ઉમેદવાર રહેલા એન દિલ્હી કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ રાજેશ લીલોઠીયાએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. તેની બાદ ગોવાના કોંગ્રેસ અધ્યક્ષ ગીરીશ ચંડોકરને પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. આ ઉપરાંત હરિયાણા મહિલા કોંગ્રેસના પ્રમુખ સુમિત્રા મહાજન, મેઘાલયના પાર્ટી મહાસચિવ નેટા પી. સંગમા, સચિવ વીરેન્દ્ર રાઠોડ, છત્તીસગઢના સચિવ અનિલ ચૌધરી, મધ્ય પ્રદેશના સચિવ સુધીર ચૌધરી અને હરિયાણાના સચિવ સત્યવીર યાદવે પણ પદ પરથી રાજીનામું આપી દીધું છે.આ ઉપરાંત ઓલ ઇન્ડિયા કોંગ્રેસના મહામંત્રી અને મધ્ય પ્રદેશના પ્રભારી દિપક બાબરીયાએ પણ રાજીનામું આપી દીધું છે.
અત્યાર સુધી યુથ કોંગ્રેસ અને મહિલા કોંગ્રેસ અને પક્ષના અલગ અલગ સંગઠનોમાંથી અંદાજે ૧૨૦ લોકોએ પદ પરથી રાજીનામા આપ્યા છે. આ તમામ નેતાઓએ લખ્યું છે કે તે તેમના પદ પરથી રાજીનામુ આપી રહ્યા છે. તેમજ અમે ઈચ્છીએ છીએ કે રાહુલ ગાંધી સ્વતંત્ર રીતે પોતાની નવી ટીમની રચના કરે. આ પૂર્વે મધ્ય પ્રદેશના સીએમ કમલનાથે પણ રાજીનામાનો પ્રસ્તાવ મુક્યો હતો.
અત્યાર સુધી ૧૨૦ લોકોએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને રાજીનામું મોકલ્યા છે. હજુ આ લીસ્ટ વધવાની સંભાવના છે. તેમજ આશા રાખવામા આવી રહી છે કે જો રાહુલ ગાંધી નહીં માને તો પાર્ટી અનેક નેતાઓ પણ રાજીનામું આપી શકે છે.