Sports

સેમીફાઈનલમાં હાર બાદ ટીમ ઇન્ડિયાના મહત્વના બે સભ્યોએ લીધી વિદાઈ

July 11, 2019
 391

આઈસીસી વર્લ્ડ કપ ૨૦૧૯ ની સેમીફાઈનલમાં હાર બાદ ટીમ ઇન્ડિયાના રાજીનામાની શરૂઆત થઈ ગઈ છે. ટીમ ઇન્ડિયાના ૨ સપોર્ટ સ્ટાફે પોતાના પદથી રાજીનામું આપી દીધું છે. આ ટીમ ઇન્ડિયાના ફિઝીયો પેટ્રિક ફરહાર્ટ અને ટીમના ફિટનેસ કોચ શંકર બાસુ છે. જયારે ટીમ ઇન્ડિયાને કોચિંગ સ્ટાફના આ બે મહત્વના સભ્યની સેવાઓ મળશે નહીં.

પેટ્રિક ફરહાર્ટનો કોન્ટ્રાક્ટ વર્લ્ડ કપ સુધીનો હતો. ‘ઇન્ડીયન એક્સપ્રેસ’ ના મુજબ, બીસીસીઆઈએ આ બંનેને નવા કોન્ટ્રાક્ટ આપ્યા હતા. પરંતુ તેમને તેને આગળ વધારવાની ઈચ્છા વ્યક્ત કરી નહોતી. ફિઝીયો પેટ્રિક ફરહાર્ટએ ટ્વીટ કરતા લખ્યું છે કે, “ભારતીય ટીમની સાથે મારો આજે છેલ્લો દિવસ હતો. અમે ઈચ્છતા હતા તેવું પ્રદર્શન કરી શક્યા નહીં. હું બીસીસીઆઈનો આભાર માનું છુ, જેમને મને ભારતીય ટીમ સાથે ૪ વર્ષ સુધી કામ કરવાની તક આપી. ભારતીય ટીમ અને સપોર્ટ સ્ટાફને આગળની સફર માટે પોતાની શુભકામના આપવા માંગુ છું” શંકર બાસુએ વર્લ્ડ કપ બાદ ટીમથી અલગ થવા પર કહ્યું છે કે, તે થોડા સમય માટે બ્રેક માંગે છે. બંનેએ તેને લઈને ટીમ મેનેજમેન્ટને જાણકારી આપી દીધી છે.

રસપ્રદ વાત એ છે કે, ટીમ ઇન્ડિયા ફિટનેસ કોચ શંકર બાસુએ ભારતીય ક્રિકેટરો માટે યો-યો ટેસ્ટ પાસ કરવો જરૂરી હતો. તેમ છતાં, શંકર બાસુ મોટા ભાગે પરદા પાછળ કામ કરવા માટે જાણીતા છે, પરંતુ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી પોતાની ફિટનેસનો શ્રેય તેમને આપે છે. બંનેએ તાલમેલ એટલા માટે પણ સારો છે, કેમકે શંકર બાસુ આઈપીએલ ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના પણ ભાગ રહ્યા છે. જયારે વિરાટ કોહલી આ ટીમના કેપ્ટન છે.

Tags:
bcci  cwc 2019  ind vs nz  india national cricket team  india vs new zealand  manchester  new zealand national cricket team  old trafford cricket ground  patrick farhart  shankar basu  virat kohli  sports cricket  cricket news  cricket 

Share:

Latest News

  • રાગિની એમએમએસ રિટર્ન્સની બીજી સીઝનનું નવું પોસ્ટર, આ દિવસે રીલીઝ થશે ટ્રેલર
  • વિડિઓ : શોર્ટ ડ્રેસ માં રાધિકા આપ્ટે નો હોટ લૂક આવ્યો સામે
  • સંસદમા ગર્જયા જયા બચ્ચ્ન, કહ્યું રેપ આરોપીઓને જાહેરમા ભીડની સામે મારી નાંખવા જોઈએ
  Latest News
  • ઉદ્યોગપતિ રાહુલ બજાજે મોદી સરકારને બતાડ્યો અરીસો, કહ્યું સરકારની ટીકા કરવાથી  ડર લાગે છે 
  • ક્રિકેટર મનીષ પાંડે અને અભિનેત્રી આશ્રિતા શેટ્ટી લગ્નના બંધનમાં બંધાયા
  • જો તમે ફિટ રહેવા માંગો છો, તો ફોલો કરો આ ટિપ્સ
  • અયોધ્યા ચુકાદાની વિરુદ્ધ સુપ્રિમ કોર્ટ પહોંચ્યું જમિયત ઉલેમાએ હિંદ, દાખલ કરી પુનઃ વિચાર અરજી 
  • ભાજપ નેતાઓ ના ભ્રષ્ટાચાર ના કારણે સરકારી અધિકારીઓ ગાંઠતા જ નથી મનમાની કરે છે જનતા પીડિત થાય છે
  Categories