નેલ્શન મંડેલાની જન્મ જયંતિ પર કોંગ્રસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ તેમની સાથેની એક જૂની તસ્વીર શેર કરીને કહ્યું છે કે મંડેલાએ વર્ષો પહેલા કીધું હતું કે તેમણે રાજનીતિના આવવું જોઈએ. પ્રિયંકા ગાંધીએ ટ્વીટર પર તસ્વીર શેર કરીને કહ્યું કે દુનિયામા નેલ્શન મંડેલા જેવા વ્યક્તિનો કમી પહેલા કરતા આજે વધારે અનુભવાઈ રહી છે. તેમનું જીવન સત્ય, પ્રેમ અને આઝાદીની મિસાલ છે.
તેમણે કહ્યું કે મારા માટે તે અંકલ નેલ્શન હતા જેમણે કોઈ બીજા ના કહેતા પૂર્વે જ કહી દીધું હતું કે મારે રાજકારણમાં આવવું જોઈએ. તે હંમેશા મારા પ્રેરણા સ્ત્રોત અને માર્ગદર્શક બન્યા રહ્યા.પ્રિયંકા ગાંધીએ જે તસ્વીર શેર કરી છે જે વર્ષ ૨૦૦૧ની જેમા તેમનો પુત્ર પણ જોવા મળી રહ્યો છે.
દક્ષિણ આફ્રિકાના ગાંધી ગણાતા નેલ્શન મંડેલાનો જન્મ ૧૮ જુલાઈ ૧૯૧૮ના રોજ દક્ષિણ આફ્રિકાના વેજોમાં થયો હતો. તેમણે દક્ષિણ આફ્રિકામાંથી રંગભેદ હટાવવામા મહત્વની ભૂમિકા ભજવી હતી. દુનિયાભરમાં અન્યાય વિરુદ્ધ લડાઈના પ્રતિક બનેલા મંડેલાએ માત્ર આફ્રિકા જ નહીં પરંતુ દુનિયાના અનેક હિસ્સામાં સ્વતંત્રતાની ભાવનાને જાગૃત કરી હતી. નેલ્શન મંડેલાનું મૃત્યુ ફેંફસાના ઇન્ફેકશનના લીધે થયું હતું. તેમજ લાંબી બીમારી બાદ ૫ ડિસેમ્બર ૨૦૧૩ના રોજ તેમનું નિધન થયું હતું.
પોતાની જિંદગી ૨૭ વર્ષ સુધી જેલની અંધારી કોટડીમા વિતાવ્યા બાદ નેલ્શન મંડેલા દેશના પ્રથમ અશ્વેત રાષ્ટ્રપતિ બન્યા હતા. નેલ્શન મંડેલા મહાત્મા ગાંધીના અહિંસા સિદ્ધાંતો તેમા પણ ખાસ કરીને મહાત્મા ગાંધીના વકાલતના દિવસોના દક્ષિણ આફ્રિકાના તેમના આંદોલનથી પ્રેરિત હતા. ૧૯૯૦મા તેમને દેશના સર્વોચ્ય નાગરિક સન્માન ભારત રત્નથી સન્માનિત કરવામા આવ્યા હતા.