ગુજરાતમા ભાજપની સદસ્યતા અભિયાનમા કેવી પોલમપોલ ચાલે છે તેનો પુરાવો રાજયના પ્રખ્યાત ભજનિક અને લોકગાયક હેમંત ચૌહાણે વિડીયો સંદેશના માધ્યમથી આપ્યો છે.તેમણે આ વિડીયોમા દાવો કર્યો છે તે ભાજપમા જોડાયા નથી કારણ કે રાજકીય પક્ષો સાથે જોડાઈ ને હું મારી જાતને હલકી કરવા માંગતો નથી.
આ વિડીયોમા આગળ તેમણે આગળ જણાવ્યું છે કે અમે લોકગાયક છીએ અને ભાજપની સિદ્ધીઓની અભીનંદન આપવા માટે અમે કલાકારો સાથે મળીને અભિનંદન પાઠવવાના ગયા હતા. પરંતુ ત્યાં અમારું સન્માન કરીને અમે ભાજપમાં જોડાયા હોવાની જાહેરાત કરી દેવામાં આવી હતી.જો કે હું ભાજપમાં જોડાયો નથી અમે લોક કલાકાર છે અમે કોઈપક્ષની વિચારધારાને વરેલા નથી. અમારી મારે અમારા ચાહકો સર્વસ્વ છે. આ ઉપરાંત કલાકારોનું જાહેર સન્માન કરવું સામાન્ય બાબત છે. કોંગ્રેસની સરકાર પણ અમારા સન્માન થયા છે.તેનો મતલબ એ નથી અમે કોંગ્રેસમા જોડાયા છે.
આ ઉપરાંત હેમંત ચૌહાણે સ્પષ્ટતા કરી છે કે તેવો આજીવન ભજનિક છે અને કલાકાર રહેવા માંગે છે. તેવો ભજન માટે જન્મ્યા છે, તેમજ મારા ચાહકોએ હું આ પક્ષમા જોડાયો તેવી જાહેરાત કરે તો તે બાબત પર વિશ્વાસ કરવો નહીં.
ઉલ્લેખનીય છે કે, કમલમ ખાતે બે દિવસ પૂર્વે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની ઉપસ્થિતિમાં લોકસાહિત્ય કલાકારો, સંગીતકારો, લોકગાયક-ગાયિકા તથા ગુજરાતી ફિલ્મોના અભિનેતા-અભિનેત્રી ભાજપમા જોડાયા હતા.
જેમાં લોકગાયક હેમંત ચૌહાણ, બંકિમ પાઠક, ભાવનાબેન લાબડીયા, સંગીતાબેન લાબડીયા, બિહારી હેમુભાઇ ગઢવી, ધનરાજભાઇ ગઢવી, અમુદાન ગઢવી, કિરીટદાન ગઢવી, શ્યામલ મુન્શી-સૌમિલભાઇ સહિતના કલાકારોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ગોપાલ બારોટ, બ્રિજરાજ લાબડીયા, બટુકભાઇ ઠાકોર, શશીભાઇ પારેખ, જીતેન્દ્ર ઠક્કર, રાજેશ ઠક્કર, ડો. વિક્રમ પંચાલ સહિત કલાકારોને ભાજપનો ખેસ પહેરાવી વિધિવત પક્ષમાં આવકારવામા આવ્યા હતા.