ભાજપના મંત્રીઓ અંદરોઅંદર ઝઘડી રહ્યા છે. જેના કારણે જૂથવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. વિજય રૂપાણી અને નીતિન પટેલ શીતયુદ્ધ જામ્યું છે ત્યારે આ બંને રાજકીય ઝઘડા વચ્ચે ભુપેન્દ્ર ચુડાસમા ફાવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન શનિવારે વિવિધ કાર્યક્રમો અને યોજનાઓ નું ઉદ્દઘાટન રાખ્યું હતું જેનું મુખ્યમંત્રી રૂપાણી ઉદ્દઘાટન કરવાના હતા. પણ તેઓની તબિયત સારી ન હતી. ડોક્ટરે આરામ કરવાની સલાહ આપી છે ત્યારે રૂપાણીએ બધાય કાર્યક્રમો નું ઉદ્દઘાટન કરવા મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા ને અમદાવાદ મોકલ્યા હતા.
વાસ્તવમાં નીતિન પટેલ ને ઉદ્દઘાટન કરવા મોકલવાના હતા પણ રૂપાણી એ ભુપેન્દ્રસિંહ ચુડાસમા ને આગળ ઘર્યાં હતા. અને નીતિન પટેલ નું પત્તુ કાપ્યું હતું. આમ, ભુપેન્દ્રસિંહ ચુડાસમા ફાવ્યા છે.