છેલ્લા કેટલાય વખતથી મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વચ્ચે રાજકીય શીતયુદ્ધ જામ્યું છે. બંને નેતાઓ વચ્ચે એટલો રાજકીય ઝઘડો જામ્યો છે કે, હવે તો નીતિન પટેલ ને સરકારી કાર્યક્ર્મોમાંય આમંત્રણ આપવામાં આવતું નથી. ગત વખતે વી..એસ.હોસ્પિટલના ઉદ્દઘાટન માય નીતિન પટેલ ની બાદબાકી કરવામાં આવી હતી. વાયબ્રન્ટ સમિટ માય ઉદ્દઘાટન પ્રસંગે પ્રવચન કરવાની પણ નીતિન પટેલ ને તક આપવામાં આવી ન હતી. હવે વડાપ્રધાન મેટ્રો ટ્રેન રેલના ઉદ્દઘાટન માય નીતિન પટેલ ને આમંત્રણ આપવામ આવ્યું નથી.
વિજય રૂપાણી અને નીતિન પટેલ વાકચ્ચે બરાબર ઝઘડો જામ્યો છે. ત્યારે ભાજપે હવે નીતિન પટેલ નું પત્તુ કાપવા તૈયારીઓ કરી છે. એવી ચર્ચા છે કે, નીતિન પટેલ ને લોકસભાની ચૂંટણી લડાવી નાયબ મુખ્યમંત્રી પદેથી હટાવવા તખતો તૈયાર કરવામાં આવ્યો છે.