1. ગુજરાતમાં નીતિન પટેલની ફરી અવગણના, મેટ્રો ટ્રેનની લોકાર્પણ પત્રિકામાં નામ ગાયબ
ગુજરાતના સીએમ વિજય રૂપાણી અને ડેપ્યુટી સીએમ નીતિન પટેલ વચ્ચેનું શીત યુદ્ધ ફરી એકવાર જોવા મળી રહ્યું છે. જેમાં ૪ માર્ચે પીએમ મોદીના હસ્તે લોકાર્પિત થનારા મેટ્રો ટ્રેન પ્રોજેક્ટની લોકાર્પણ પત્રિકામાં ડેપ્યુટી સીએમ નીતિન પટેલનું નામ છપાયું જ નથી. જેને લઈને રાજકીય વર્તુળોમાં ડેપ્યુટી સીએમ નીતિન પટેલની ફરી એકવાર અવગણના થઈ હોવાની વાતોએ જોર પકડ્યું છે.
2. ગુજરાતમાં નીતિન પટેલની ફરી અવગણના, મેટ્રો ટ્રેનની લોકાર્પણ પત્રિકામાં નામ ગાયબ
આ પૂર્વે પણ અમદાવાદમાં પીએમ મોદીએ વી.એસ.હોસ્પિટલ અને નવી બનેલી સરદાર પટેલ ઇન્સ્ટીટયુટ ઓફ મેડીકલ રીસર્ચનું ઉદઘાટન કર્યું હતું તેની આમંત્રણ પત્રિકાના નીતિન પટેલનું નામ ગાયબ હતું.
3. ગુજરાતમાં નીતિન પટેલની ફરી અવગણના, મેટ્રો ટ્રેનની લોકાર્પણ પત્રિકામાં નામ ગાયબ
અમદાવાદ શહેરમાં મેટ્રો ટ્રેનના પ્રથમ તબકકાનું પીએમ મોદી ૪ માર્ચના રોજ લોકાર્પણ કરવાના છે. જેને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આ પૂર્વે જાન્યુઆરી માસમાં તેનું લોકાર્પણ કરવાના હતા. પરંતુ ટેકનીકલ કારણોસર તેનું લોકાર્પણ પાછું ઠેલવવામાં આવ્યું હતું. જેમાં વસ્ત્રાલથી એપરલ પાર્ક સુધીના રૂટ પર મેટ્રો ટ્રેન શરુ કરવામાં આવશે.
4. ગુજરાતમાં નીતિન પટેલની ફરી અવગણના, મેટ્રો ટ્રેનની લોકાર્પણ પત્રિકામાં નામ ગાયબ
મેટ્રો ટ્રેનના પ્રથમ તબક્કામાં ત્રણ કોચની સાથે મેટ્રો ટ્રેન એપરેલ પાર્કથી વસ્ત્રાલ સુધી દોડનાર છે. બીજી બાજુ બીજી ટ્રેન દક્ષિણ કોરિયાથી નિર્ધારિત સમય મુજબ ૧૭મી જાન્યુઆરીએ રવાના કરવામાં આવી હતી. આ ટ્રેનને પાટા પર ચડાવી દેવા અને તેના ટેસ્ટિંગની પ્રક્રિયાને મોડેથી હાથ ધરવામાં આવી હતી. તેમજ તેની ચકાસણી પણ પૂર્ણ કરી લેવામાં આવી છે. જેમાં માર્ચના પ્રથમ સપ્તાહમાં એપરલ પાર્કથી વસ્ત્રાલ સુધી આ ટ્રેન નિયમિત રીતે દોડવાની શરૂઆત કરવામાં આવનાર છે.
5. ગુજરાતમાં નીતિન પટેલની ફરી અવગણના, મેટ્રો ટ્રેનની લોકાર્પણ પત્રિકામાં નામ ગાયબ
અમદાવાદમાં દોડનારી મેટ્રોની વિશેષતાઓ જોઇએ તો મેટ્રો ટ્રેનની ક્ષમતા કુલ ૮૦૦ પેસેન્જરની છે. ત્રણ કોચની એક ટ્રેનની લંબાઇ ૬૭.૩૨ મીટર છે. જ્યારે કે મહત્તમ પહોળાઇ ૨.૯૦ મીટર છે. ટ્રેનની ઉંચાઇ ૩.૯૮ મીટર છે. જ્યારે કે ટ્રેનની સરેરાશ સ્પીડ ૩૪ કિલોમીટર છે. પરંતુ ટ્રેન ૮૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે. ટ્રેનની મહત્તમ સ્પીડ ૯૦ કિલોમીટર પ્રતિ કલાક છે
6. ગુજરાતમાં નીતિન પટેલની ફરી અવગણના, મેટ્રો ટ્રેનની લોકાર્પણ પત્રિકામાં નામ ગાયબ
આ પ્રોજેક્ટ આશરે ૧૦, ૭૦૦ કરોડ રૂપિયામાં થનાર છે. સરસપુરથી શાહપુર સુધી મેટ્રોના અંડર ગ્રાઉન્ડ ટનલ પર કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યુ છે. પ્રથમ તબક્કામાં પ્રોજેક્ટ ૪૦ કિલોમીટરનો છે. જેમાં ૩૩.૫ કિલોમીટર એલીવેટેડ અને ૬.૫૦ કિલોમીટર અંડરગ્રાઉન્ડ રાખવામાં આવનાર છે. આ માર્ગમાં ૩૨ સ્ટેશનો આવનાર છે. આગામી સમયમાં કાલુુપુર રેલવે સ્ટેશનમલ્ટીપર્જ તરીકે ઉપયોગ કરવામાં આવનાર છે. જ્યાં થ્રી લેટર પરિવહન સુવિધા રહેનાર છે.
7. ગુજરાતમાં નીતિન પટેલની ફરી અવગણના, મેટ્રો ટ્રેનની લોકાર્પણ પત્રિકામાં નામ ગાયબ
મેટ્રો ટ્રેન શરૂ કરવામાં આવ્યા બાદ શહેરમાં દરરોજ એક સ્થળથી બીજા સ્થળ પર નોકરી માટે જતા લોકોને પરિહવનના બીજા વિકલ્પ પણ મળશે. આના કારણે મોટી રાહત થઇ જશે. લોકો અને ખાસ કરીને નોકરિયાત વર્ગ વધુ ઝડપથી અને સમયસર તેમના સ્થળ પર પહોંચી જશે. શહેરમાં રહેતા લોકો હાલમાં મેટ્રોને લઇને ઉત્સુક દેખાઇ રહ્યા છે.