1. Hardik Patel Give Threat To PM Modi Oppose On 4th March In Ahmedabad
ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલે અમદાવાદમાં ઉમિયાધામ મંદિરના ભૂમિપૂજનમાં પીએમ મોદીની હાજરીથી નારાજગી વ્યક્ત કરી છે. હાર્દિકપટેલે જણાવ્યું છે કે આ મંદિરના ભૂમિપૂજન પીએમ મોદી આવશે તો તેમનો જબરજસ્ત વિરોધ કરવામાં આવશે.અમદાવાદના જાસપુર નજીક ઉમિયા માતાજીના મંદિરનું વડાપ્રધાન મોદીના હસ્તે ચાર માર્ચના રોજ તેનું ભૂમિપુજન થવાનું છે.
2. Hardik Patel Give Threat To PM Modi Oppose On 4th March In Ahmedabad
હાર્દિક પટેલે વધુમાં જણાવ્યું હતું કે , ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં અનામત આંદોલન દરમ્યાન પાટીદાર સમાજ પર અમાનુષી અત્યાચાર ગુજારવામાં આવ્યો છે. તેમજ આ જ આંદોલનમાં પાટીદાર સમાજના ૧૪ જેટલાં યુવાનો શહીદ થયા તેમજ રાજદ્રોહના કેસ પણ નોંધવામાં આવ્યા હતા. માતા બહેનોને ગાળો આપીને લાઠી વરસાવવામાં આવી છે.
3. Hardik Patel Give Threat To PM Modi Oppose On 4th March In Ahmedabad
હાર્દિક પટેલે જણાવ્યું કે આ સમયે પીએમ મોદીનો બહિષ્કાર કરવાના બદલે સમાજના કેટલાંક આગેવાનો પોતાનો રાજકીય રોટલો શેકવા ઉમિયા માતાનો સોદો કરવા તૈયાર થયા છે. ઉમિયાધામનું ખાતમૂહર્ત પીએમ મોદીના હસ્તે કરાવીને ધાર્મિક કાર્યક્રમને રાજકીય સભા ફેરવવાનું કામ કરવામાં આવી રહ્યું છે. આ સમગ્ર ઘટના જ શરમજનક છે.
4. Hardik Patel Give Threat To PM Modi Oppose On 4th March In Ahmedabad
આ ઉપરાંત હાર્દિકે પટેલે જણાવ્યું કે ઉમિયાધામનું ભૂમિપુજન એ ધાર્મિક કાર્યક્રમ છે. તેનું ઉદઘાટન રાજકીય આગેવાનો પાસે કરાવવું છે તો રાજયના ભાજપ કોંગ્રેસના પાટીદાર સમાજના અનેક નેતાઓ છે. પરંતુ પીએમ મોદીને વહાલા થવા માટે સમાજના આગેવાનો બધું જ ભૂલી ગયા છે.
5. Hardik Patel Give Threat To PM Modi Oppose On 4th March In Ahmedabad
ઉલ્લેખનીય છે કે, અમદાવાદના જાસપુર નજીક ઉમિયા માતાજીના મંદિરનું વડાપ્રધાન મોદીના હસ્તે ચાર માર્ચના રોજ તેનું ભૂમિપુજન થવાનું છે. આ મંદિરના ભૂમિપૂજન કાર્યક્રમમાં ૧૫ દેશના પ્રતિનીધીઓ અને અંદાજે ૧૦ લાખ લોકો હાજર રહેવાના છે. ઉમિયા માતાજીના મંદિરનું વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા તૈયાર કરવામાં આવનારું છે.