ઇસ્લામિક દેશોના સંગઠન ઓઆઈસીમાં કાશ્મીર મુદ્દે મંજુર કરવામાં આવેલા પ્રસ્તાવ પર કોંગ્રેસે મોદી સરકાર પર નિશાન તાક્યું છે. કોંગ્રેસે આક્ષેપ લગાવ્યો કે વડાપ્રધાન મોદીની વિદેશનીતિ નિષ્ફળ નીવડી છે તેમજ આ મુદ્દે તેમણે જવાબ આપવો જોઈએ.
કોંગ્રેસ પ્રવક્તા મનીષ તિવારીએ પત્રકાર પરીષદમાં જણાવ્યું હતું કે ભારત કેટલાક દશકોથી ઓઆઈસીને અવગણના કરતું હતું. પરંતુ વડાપ્રધાન મોદીની વિદેશનીતિથી તેના નિવેદનોને કાયદેસરતા મળી છે.જેના બદલે ભારતને એવું નામ મળ્યું જેની જેટલી ટીકા કરવામાં આવે તેટલી ઓછી છે. મનીષ તિવારીએ કહ્યું કે એનડીએ સરકાર ઓઆઈસીમા ભાગ લેવો પોતાની મોટી ઉપલબ્ધી ગણાવે છે. પરંતુ વાસ્તવમાં તેમાં તેમણે દેશહિતોનું સમપર્ણ કર્યું છે.
આ પૂર્વે કોંગ્રેસના મીડિયા પ્રભારી રણદીપ સુરજેવાલાએ કહ્યું કે રાજકીય જીતને રાજકીય હારમાં બદલી દેવામાં આવી છે. તેમણે સવાલ કર્યો કે પીએમ મોદીએ વિદેશ મંત્રીને ઓઆઈસીમાં ભારત વિરુદ્ધના આ પ્રકારના આરોપને સ્વીકાર કરવા મોકલ્યા હતા. વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રને જવાબ આપવો જોઈએ. સમાચારો અનુસાર ઓઆઈસીમાં કાશ્મીરમા માનવ અધિકારોનું હનન થઈ રહ્યું હોવાનો પ્રસ્તાવ મંજુર કરવામાં આવ્યો હતો. જો કે ભારતે આ પ્રસ્તાવને રદ કરતા જણાવ્યું કે આ ભારતનો આંતરિક મામલો છે.