1. રાહુલ ગાંધીએ ભાજપ કર કર્યો પ્રહાર, કહ્યું ભાજપના તમામ ચોકીદાર ચોર
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ યેદુરપ્પા ડાયરીમાં થયેલા કથિત ખુલાસાને લઈને ભાજપના નેતાઓ પર પ્રહાર કર્યો છે. જેમાં યેદુરપ્પા સરકારે તેમના કાર્યકાળ દરમ્યાન ભાજપના સીનીયર નેતાઓને નાણા આપ્યા હોવાની વાત ડાયરીના માધ્યમથી બહાર આવી છે. જેને લઈને રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને લખ્યું છે કે ભાજપના તમામ ચોકીદાર ચોર છે. આ ટ્વીટમાં તેમણે વડાપ્રધાન મોદી, નાણા મંત્રી અરુણ જેટલી અને કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહનું નામ પણ લખ્યું છે.
2. રાહુલ ગાંધીએ ભાજપ કર કર્યો પ્રહાર, કહ્યું ભાજપના તમામ ચોકીદાર ચોર
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસે યેદુરપ્પા કર્ણાટકના મુખ્યમંત્રી હતા તે સમયે તેમણે નેતાઓને કેટલા નાણા આપ્યા હતા તેની વિગતો જાહેર કરી છે. તેનો ખુલાસો કરતી એક પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. જો કે યેદુરપ્પા સરકારે આપેલા આ નાણાની વિગતો તેની સ્થાનિક ભાષામાં છે. જેને સોશિયલ મીડિયા પર ટ્રાન્સલેટ કરીને અંગ્રેજીમાં મુકવામાં આવી છે.
3. રાહુલ ગાંધીએ ભાજપ કર કર્યો પ્રહાર, કહ્યું ભાજપના તમામ ચોકીદાર ચોર
જેમાં સામે આવેલી વિગતો મુજબ જેમાં લાલકૃષ્ણ અડવાણીથી લઈને અરુણ જેટલી સુધીના નામો પણ સામેલ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ વિગતો આ મુજબ છે.
૧ લાલકૃષ્ણ અડવાણી - ૧૦૦ કરોડ
૨ રાજનાથસિંહ -૧૦૦ કરોડ
૩ નીતિન ગડકરી -૧૫૦ કરોડ
૪ મુરલી મનોહર જોશી -૫૦ કરોડ
૫ જજને - ૨૫૦ કરોડ
૬ એડવોકેટ( પેડ કેસ) - ૫૦ કરોડ
૭ અરુણ જેટલી - ૧૫૦ કરોડ
નીતિન ગડકરીના પુત્રના લગ્ન માટે - ૧૦ કરોડ
4. રાહુલ ગાંધીએ ભાજપ કર કર્યો પ્રહાર, કહ્યું ભાજપના તમામ ચોકીદાર ચોર
આ વિગતો સામે આવ્યા બાદ આ તમામ નેતાઓની નૈતિકતા પર કોંગ્રેસે સવાલ ઉભા કર્યા છે. તેમજ કહ્યું છે આ સમગ્ર કેસની તપાસ થવી જોઈએ. કોંગ્રેસ પક્ષે ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યો છે. દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સમાં પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે કર્ણાટકમાં તત્કાલીન યેદુરપ્પા સરકારે ભાજપને ૧૮૦૦ કરોડ રૂપિયા આપ્યા હતા. તેમણે કહ્યું કે મીડિયામા આવેલા અહેવાલમાં આ બાબત સામે આવી છે. તેમણે કહ્યું કે આ ડાયરીમાં યેદુરપ્પાની સહી છે. આ ડાયરીમાં અંદાજે ૧૨ નેતાઓના નામ છે. કોંગ્રેસ આ સમગ્ર કેસમાં તપાસની માંગ કરી છે.
5. રાહુલ ગાંધીએ ભાજપ કર કર્યો પ્રહાર, કહ્યું ભાજપના તમામ ચોકીદાર ચોર
સુરજેવાલાએ કહ્યું કે ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૭ના રોજ યેદુરપ્પાની ડાયરી સાથે જોડાયેલા વિડીયો અને તેની ટ્રાન્સસ્ક્રીપ્ટ જાહેર કરવામાં આવી છે. જેમાં અનંતકુમાર અને જેલ બર્ડ યેદુરપ્પા વચ્ચે વાતચીત થઈ હતી. એક ટેલીવિઝન ચેનલના માધ્યમથી એક તથાકથિત ડાયરી સાર્વજનિક જાહેર કરવામાં આવી છે. તેમજ તેમાં ૧૮૦૦ કરોડ રૂપિયા ભાજપના નેતૃત્વને પહોંચાડવાની વાત નોંધેલી છે. આ ડાયરીના દરેક પેજ પર યેદુરપ્પાની સહી છે.
6. રાહુલ ગાંધીએ ભાજપ કર કર્યો પ્રહાર, કહ્યું ભાજપના તમામ ચોકીદાર ચોર
કોંગ્રેસે કહ્યું છે કે આ ડાયરી વર્ષ ૨૦૧૭થી ઇન્કમટેક્સ પાસે છે. તેમજ મોદી સરકાર આ કેસની તપાસ કેમ નથી કરાવતી. સુરજેવાલાએ કહ્યું કે એ બાબત સાચી છે કે આવકવેરા વિભાગ લાંચના પૈસાની લેવડ દેવડમાં સરકાર પાસે તપાસની મંજુરી માંગી હતી. પરંતુ સરકારે તેની પર ધ્યાન આપ્યું નથી.