Sports

વર્લ્ડ કપ બાબતે એમએસકે પ્રસાદનું મોટું નિવેદન

April 06, 2019
 187

ભારતને ઇંગ્લેન્ડમાં ૩૦ મેથી શરૂ થનારા ક્રિકેટ વર્લ્ડ કપમાં ટાઈટલના દાવેદારના રૂપમાં જોવામાં આવી રહ્યું છે. બીસીસીઆઈના ચીફ સિલેક્ટર એમએસકે પ્રસાદે ટીમ ઇન્ડિયાની જાહેરાતને લઈને મોટો ખુલાસો કર્યો છે.

એમએસકે પ્રસાદે જણાવ્યું છે કે, વર્લ્ડ કપ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત ૨૦ એપ્રિલના પહેલા કરવામાં આવશે. તેમને જણાવ્યું છે કે, અમને ભારતીય ટીમ દ્વ્રારા આ વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શનનો વિશ્વાસ છે. અમે છેલ્લા દોઢ વર્ષથી આ ટીમને નજીકથી જોઈ છે, અમને પોતાના ખેલાડીઓની ક્ષમતા પર સંપૂર્ણ ભરોસો છે અને અમે સારી ટીમ પસંદ કરીશું. અમને વિશ્વાસ છે કે, અમારી ટીમ વર્લ્ડ જીતીની આવશે.

વર્લ્ડ કપ માટે ટીમ જાહેરાત કરવાની ડેડલાઈન ૨૫ એપ્રીલ છે અને બીસીસીઆઈ ૨૦ એપ્રિલ પહેલા જ ટીમ જાહેર કરી દેશે. ભારતીય ટીમમાં ૨-૩ સ્થાન છોડી મોટાભાગના સ્થાન માટે ખેલાડીની જગ્યા નક્કી માનવામાં આવી રહી છે. ચોથા ક્રમના બેટ્સમેન, ચોથા ઝડપી બોલર અથવા ત્રીજા સ્પિનર અને બીજા વિકેટકીપર પર નિર્ણય થવાનો છે.

ભારતીય કેપ્ટન વિરાટ કોહલી પહેલાથી જ બોલી ચુક્યા છે કે, ટીમ લગભગ નક્કી થઈ ચુકી છે. તેમને જણાવ્યું હતું કે, આઈપીએલમાં કરવામાં આવેલ પ્રદર્શનનું વર્લ્ડ કપ માટે ટીમની પસંદગીમાં કોઈ અસર પડશે નહીં.

Tags:
India World Cup 2019 squad  Indian Cricket Team  World Cup 2019  MSK Prasad  IPL 2019  IPL  sports cricket  cricket news  cricket 

Share:

Latest News

  • આ છે...મોદી સરકારના મંત્રીએ દત્તક લીધેલા ગામની હાલત, લાગેલાં છે 'નો એન્ટ્રી' ના બોર્ડ
  • ફિલ્મ 'ગુડ ન્યુઝ'ની શુટિંગનો થયો 'ધ એન્ડ', કરીનાના ખોળામાં સુતા દેખાયા અક્ષય કુમાર
  • 'દબંગ ૩'ના સેટથી તસ્વીર આવી સામે, 'ચુલબુલ પાંડે' સ્ટાઈલમાં જોવા મળ્યા સલમાનખાન
  Latest News
  • શુભ મુહુર્તમાં કરો કળશ પૂજન, જાણો સ્થાપનાનું મહત્વ
  • જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલાની દહેશત, સુરક્ષાદળો હાઈએલર્ટ પર
  • લોકસભા ચૂંટણી પહેલાં સમગ્ર ઉત્તર ગુજરાતમાં ભાજપ માટે હાલ શરમ જનક સ્થિતિ છે
  • નાસ્તામાં બનાવો હેલ્થી એન્ડ ટેસ્ટી સોજી ચીઝ ટોસ્ટ
  • પુત્રીના લગ્ન માટે પિતાએ અપનાવી અનોખી રીત
  Categories