1. ટીમ ઇન્ડિયાનો વાઈબ્રન્ટ જર્સીમાં ન્યુ લુક રીલીઝ
વર્લ્ડ કપમાં મેન ઇન બ્લ્યુ એટલે ભારતીય ટીમનો વિજયી અભિયાન ચાલુ છે. ૩૦ જુનના ઇંગ્લેન્ડ સામે વિરાટ કોહલીની ટીમ મેદાન પર ઉતરશે. બંને ટીમો માટે મેચ મહત્વની હશે. જ્યારે આ જીત સાથે ભારતીય ટીમ સેમીફાઈનલમાં પ્રવેશ કરી લેશે. જયારે ટુર્નામેન્ટમાં બહાર થનારી ઇંગ્લેન્ડ ટીમ જો આ મેચ જીતી જશે તો તેમને એક વધુ જીવનદાન મળી જશે. રવિવારે આ મેચમાં ભારતીય ટીમ અલગ જ રંગમાં જોવા મળવાની છે. અહીં ઇંગ્લેન્ડ સામે ટીમ ઇન્ડિયા બ્લ્યુ નથી કેસરી જર્સીમાં મેદાન પર ઉતરશે.
2. ટીમ ઇન્ડિયાનો વાઈબ્રન્ટ જર્સીમાં ન્યુ લુક રીલીઝ
ટીમ ઇન્ડિયા ૩૦ જૂન ૨૦૧૯ ને બર્મિંગહામમાં પ્રથમ વખત પોતાની નવી જર્સી પહેરશે. આ વર્ષે વનડે અને હવે કીટની જે ડીઝાઈન લોન્ચ કરવામાં આવી છે, તે સામે વાળા ભાગને છોડી સંપૂર્ણ રીતે ઓરેન્જ રંગની છે. ટીમ ઇન્ડિયાની નવી જર્સીનો રંગ ભગવો હોવાના કારણે ઘણો વિવાદ થયો છે. ભારતમાં ઘણી રાજનીતિક દળોએ આ બાબતમાં બીસીસીઆઈને કહ્યું હતું કે, બીસીસીઆઈએ આ રંગ કેન્દ્ર સરકારને ખુશ કરવા માટે પસંદ કર્યો છે. જયારે આઈસીસીએ આ આરોપો પર જણાવ્યું હતું કે, કલર કોમ્બીનેશન તેમની તરફથી બીસીસીઆઈને મોકલવામાં આવ્યું હતું અને તેમને ત્યાં કોમ્બીનેશન પસંદ કર્યું જે તેમને ઠીક લાગ્યું.
3. ટીમ ઇન્ડિયાનો વાઈબ્રન્ટ જર્સીમાં ન્યુ લુક રીલીઝ
આઈસીસીએ નવા નિયમ અનુસાર આઈસીસી ઇવેન્ટમાં એક મેચમાં એક જેવી રંગ વાળી ડ્રેસ પહેરી બંને ટીમ મેદાન પર ઉતરી શકે નહી. એવામાં એક ટીમની જર્સીનો રન બદલવો જોઈએ. આ નિયમ ફૂટબોલના જર્સીથી પ્રેરિત થઈને લેવામાં આવ્યો છે. એવામાં બાબતોમાં યજમાન ટીમને જ પોતાની ભૂતપૂર્વ નિર્ધારિત રંગની જર્સી પહેરવાની અનુમતિ હોય છે. ટાઈટલની પ્રબળ દાવેદાર માનવામાં આવનારી ટીમ ઇન્ડિયાની છ મેચ થઈ ચુકી છે અને પાંચમાં જીત સાથે કુલ ૧૧ પોઈન્ટ સાથે તે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાન પર છે. ભારતની એક મેચ વરસાદના કારણે રમાઈ નહોતી.