1. દુનિયાની સૌથી મોટી આત્મહત્યા
દેશની રાજધાની દિલ્હીના બુરાડીમાં થોડા મહિના પહેલા એક દુઃખદાયક ઘટના બની હતી, જેને સંપૂર્ણ દુનિયાને હેરાન કરી દીધી હતી. આ ઘટનામાં અંધવિશ્વાસમાં પડી એક જ પરિવારના ૧૧ લોકોએ એક સાથે આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટના બાબતે અત્યાર સુધી રહસ્ય બનેલું છે.
પરંતુ શું તમને જાણ છે કે, અંધવિશ્વાસના કારણે એમરિકાની પાસે આવેલ ગુયાનાના જોંસટાઉનમાં એક સાથે ૯૦૦ થી વધુ લોકોએ આત્મહત્યા કરી લીધી હતી. જી હા, તમે કદાચ વિશ્વાસ નહિ કરો પરંતુ આ સત્ય છે.
વાસ્તવમાં, આ ભયાનક ઘટનાને અત્યાર સુધી સૌથી મોટી આત્મહત્યાની ઘટનાઓમાંથી એક માનવામાં આવે છે, જેમાં એક સાથે ૯૦૦ થી વધુ લોકોને ઝેર પીને આત્મહત્યા કરી લીધી હતી અને જેને ઝેર પીવાનો ઇનકાર કર્યો, તેને બળજબરી પીવડાવવામાં આવ્યું હતું.
2. દુનિયાની સૌથી મોટી આત્મહત્યા
પ્રાપ્ત માહિતી મુજબ, આ ઘટના ૪૦ વર્ષ પહેલાની છે. ૧૮ નવેમ્બર ૧૯૭૮ ના આ ઘટના બની હતી, જેના વિશે સાંભળી દરેક હેરાન થઈ ગયા હતા. વાસ્તવમાં, આ ઘટનાની પાછળ જીમ જોન્સ નામના એક ધર્મગુરુનો હાથ હતો.
તે પોતાને ભગવાનનો અવતાર બતાવતા હતા. આ ઘટનાની શરૂઆત કંઇક આવી રીતે થઈ કે, જીમ જોંસે લોકોની વચ્ચે પોતાનો પગ પસારવા માટે જરૂરિયાતમંદ લોકોની મદદના નામ પર વર્ષ ૧૯૫૬ માં ‘પીપલ્સ ટેમ્પલ’ (લોકોનું મંદિર) નામનું એક ચર્ચ બનાવ્યું અને પોતાની ધાર્મિક વાતો અને અંધવિશ્વાસના આધારે તેમને હજારો લોકોને પોતાના અનુયાયી બનાવી લીધા હતા.
3. દુનિયાની સૌથી મોટી આત્મહત્યા
જો કે જિમ જોન્સ કમ્યુનિસ્ટ વિચારધારાના હતા અને તેમના વિચાર અમેરિકી સરકારથી અલગ હતા. એટલા માટે પોતાના અનુયાયીઓની સાથે શહેરથી દુર ગુયાનાના જંગલોમાં ચાલ્યા ગયા અને ત્યાં પર તેમને એક નાનું ગામ પણ વસાવી દીધું હતું. પરંતુ થોડા મહિના બાદ જ તેમની રિયાલીટી લોકોની સમક્ષ આવી ગઈ હતી.
વાસ્તવમાં, જિમ જોન્સ પોતાના અનુયાયીઓથી દિવસભર કામ કરાવતા હતા અને રાત્રે જયારે તે થાકી જતા હોવા છતાં આરામ પણ કરવામાં આવતો નહોતો અને પોતાનું ભાષણ શરૂ કરી દેતા હતા. આ દરમિયાન તેમના સિપાહી ઘર-ઘર જઈને જોતા હતા કે કોઈ આરામ તો કરી રહ્યું નથી. જો કોઈ આરામ કરતુ જોવા મળે તેને સજા ફટકારવામાં આવતી હતી. એટલું જ નહીં, તે લોકોને ગામની બહાર પણ જવા દેતા નહોતા. પુરૂષ અને મહિલાઓ જ્યારે કામ કરતી હતી, તો તેમના બાળકોને એક કમ્યુનિટી હોલમાં રાખવામાં આવતા હતા.
4. દુનિયાની સૌથી મોટી આત્મહત્યા
તેમના સિપાહી ગામના ચારોતરફ દિવસ-રાત્રી પેહરો રાખતા હતા, જેથી કોઈ ત્યાંથી ભાગી શકે નહીં. જિમ જોન્સે પોતાના અંધવિશ્વાસનો જાલ એવી રીતે ફેલાવી રાખ્યો હતો કે, તે જે કહેતા, લોકો તેને માની લેતા હતા. આ દરમિયાન અમેરિકી સરકારને ત્યાં થઈ રહેલી ગતિવિધિઓના વિશેમાં જાણ થઈ તો સરકારે કાર્યવાહી કરવાનું વિચાર્યું હતું.
પરંતુ તેની જાણ જિમ જોન્સને પણ થઈ ગઈ અને તેમને પોતાના બધા અનુયાયીઓને એક જગ્યાએ ભેગા થવાનું કહ્યું હતું. કહેવામાં આવે છે કે, આ દરમિયાન જિમ જોન્સે લોકોથી કહ્યું હતું કે, “અમેરિકી સરકાર આપણા બધાને મારી નાખવા આવી રહી છે. તે આપણને ગોળીઓથી વિંધી નાખે, તે પહેલા આપણે પવિત્ર જળ પી લેવું જોઈએ. આવું કરવાથી આપણે ગોળીઓની પીડાથી બચી શકીશું.”
5. દુનિયાની સૌથી મોટી આત્મહત્યા
જિમ જોન્સે લોકોથી કહ્યું હતું કે, આવું નહીં કરીએ તો તે આપણને બોમ્બથી ઉડાડી દેશે અને જે બચી જશે તેમની સાથે જાનવરો જેવો વર્તાવ કરશે. મહિલાઓની સાથે રેપ કરશે, બાળકોને વિભિન્ન તકલીફો આપશે. એટલા માટે આપણે તેમનાથી બચવા માટે પવિત્ર જળ પીવું પડશે.
જિમ જોન્સે પહેલાથી જ એક મોટા ટબમાં ખતરનાક ઝેર મિક્સ કરી એક સોફટ ડ્રિન્ક્સ બનાવી લીધું હતું અને લોકોને પીવા માટે આપી દીધું હતું. આ દરમિયાન જેને પણ ઝેરી ડ્રીંક પીવાની ના પાડી તેને બળજબરી પીવળાવવામાં આવ્યું હતું. આવી રીતે એક અંધવિશ્વાસીના ચક્કરમાં પડેલા ૯૦૦ થી વધુ લોકોએ પોતાનું જીવન ગુમાવી દીધું હતું. તેમાં ૩૦૦ થી વધુ બાળકો પણ સામેલ હતા.
આ ઘટનાને અત્યાર સુધીના સૌથી મોટા નરસંહારોમાંથી એક માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે, લોકોના મર્યા બાદ જિમ જોન્સનો મૃતદેહ પણ એક જગ્યાએ જોવા મળ્યો હતો. તેમને પોતાને ગોળી મારી લીધી હતી અથવા કદાચ કોઈએ તેમના કહેવા પર તેમને ગોળી મારી દીધી હતી.