વડા પ્રધાન નરેન્દ્ર મોદી દેશ મા જ્યાં જ્યાં ચુંટણી પ્રચાર કરવા જાય છે ત્યારે રેલી સભા ઓ મા સ્થળ ઉપર તેમને સાંભળવા માટે જનતા આવતી જ નથી જે લોકો આવ્યા હોય છે તેમાં પાર્ટી ના કાર્યકરો હોય છે અને નાસ્તો પાણી કે અન્ય લાલચ આપીને લોકો ને સભા સ્થળ ઉપર લાવેલા માણસો હોય છે નરેન્દ્ર મોદીએ પણ અગાઉ પોતાના નેતાઓ માટે આવી ભાડૂતી ભીડ ભેગી કરી છે તે અનુભવ ના કારણે તે સભા સ્થળે સમજી જાય છે કે આ લોકો સાચા મતદારો નથી આ ભીડ મા આજુ બાજુ ના ૧૦૦ કિલો મીટર વિસ્તાર માં થી આવેલા પાર્ટી ના માથા ભારે કાર્યકરો છે જે હંમેશા જનતા ને ડરાવવા પોતાના ટોળા ઓ લઈ ને તૈયાર રહે છે જેઓ અંધ ભક્તો ના નામે ઓળખાય છે. ટુંક માં ઓછી જનતા જોઈ ને નરેન્દ્ર મોદી સમજી ગયા છે કે દેશ ના કોઈ પણ રાજ્ય મા હવે ભાજપ ની કે પોતાની એટલે કે નરેન્દ્ર મોદી ની જનતા પર કોઈ પકડ રહી નથી જનતા ના દિલ મા થી હવે નરેન્દ્ર મોદી ઉતરી ગયેલી વ્યક્તિ છે અને તે હવે એક જુઠ્ઠો માણસ ગણાય છે આ કારણે નરેન્દ્ર મોદી રઘવાયા બન્યા છે અને જેમ ફાવે તેમ કોંગ્રેસ અને અન્ય રાજકીય પક્ષો ને બોલી રહ્યા છે પોતે સત્તા ના પાવર મા કહીં રહ્યા છે કે હું કોઈ ને પણ છોડીશ નહીં. દેશ ના પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધી ને પણ બદનામ કરી રહ્યા છે.
એમ કરીને પોતાની પ્રતિષ્ઠા ગુમાવી બેસે છે ત્યારે લાગે છે આ વ્યક્તિ આંખો બંધ કરીને અભિમાન મા એવી રીતે ચાલે છે કે આગળ કૂવો છે અને પાછલ ખાઈ છે તે પણ તેને ખબર કેમ નથી?? ગુજરાત ના વડોદરા બાજુ ના ભાજપ ના ધારા સભ્ય મધુ શ્રીવાસ્તવ ની છાપ અસામાજિક તત્વો ના ડોન એક ગુંડા જેવી છે તે અવારનવાર છાપા ઓ માં વાંચ્યું છે અને તેમનાથી આસપાસ ના લોકો ફફડી ઉઠે છે તેવી શેખી મા રહેતા મધુ એ પણ એક જન સભા મા કહ્યું છે કે તમારે મત ભાજપ ને જ આપવાનો છે જે ભાજપ ને મત નહિ આપે તે ને હું ઠેકાણે પાડી દઈશ. આ નિવેદનો સાંભળ્યા પછી પણ દેશ નું ચુંટણી પંચ આંધળું બહેરું અને બોબડું થઈ ને બેઠું છે કારણ કે ચુંટણી પંચ ના માણસો પણ મોદી ભક્તો જ છે તેવી વાતો જનતા મા થઈ રહી છે ત્યારે મારી જનતા ને અપિલ છે કે ભાજપ અને મોદી ને આ વખતે મત ના આપો તે દેશ માટે સારી વાત છે