ગુજરાતની બારડોલી બેઠક પર પ્રચાર માટે ગયેલા ભાજપના લોકસભા ઉમેદવાર પ્રભુ વસાવાની તાપીમાં યોજાયેલી જનસભા આદિવાસીઓ હોબાળો કર્યો હતો. જેમાં ભાજપના ઉમેદવારની સભામાં થયેલા હોબાળા બાદ તેમનો પ્રશ્ન સાંભળવામાં આવ્યો હતો. તેવો તાપી લીંક યોજનામાં થનારી જમીન સંપાદનથી તે આક્રોશિત હતા.તેમજ આ અંગે ભાજપના લોકસભા ઉમેદવાર પ્રભુ વસાવાએ આ પરિપત્ર રદ કરવાની હૈયાધારણ આપ્યું હતું. તેની બાદ મામલો શાંત પડ્યો હતો. આ બેઠક પર ભાજપના પ્રભુ વસાવા વિરુદ્ધ કોંગ્રેસના નેતા તુષાર ચૌધરી મેદાનમાં છે.
બારડોલીના લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પ્રભુ વસાવાએ સરકારી પરિપત્ર રદ થયો હોવાનો ઉલ્લેખ કર્યો હતો. એક તકે તો ગ્રામજનોએ વિરોધ કરતાં આદિવાસીઓ અને ભાજપના કાર્યકરો આમને સામને આવી ગયા હતા. આદિવાસીઓની માંગ હતી કે તેમની જમીન સંપાદન ન થવી જોઈએ.
ગુજરાત લાંબા સમયથી આદિવાસી વિસ્તારમાં જમીન સંપાદનના મુદ્દે રાજકારણ ગરમાયેલું છે, તેવામાં ભાજપના ઉમેદવારને રોષનો સામનો કરવો પડ્યો હતો. જયારે ગુજરાતના નર્મદા જીલ્લામાં પણ સરદાર પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસ કરવામાં આવી રહેલા જમીન સંપાદનનો પણ આદિવાસીઓ વિરોધ ક્રરી રહ્યા છે. તેમજ તેમનો આક્ષેપ છે કે મોદી સરકાર અને ગુજરાત સરકાર બંધારણના સીડ્યુલનો અમલ કરવાના બદલે આદિવાસી પાસેથી તેમની જમીન જબરજસ્તી પડાવી રહી છે. જેની માટે આદિવાસી સંસ્થાઓ પણ તેનો વિરોધ કર્યો હતો. તેમજ આ મુદ્દે છેક રાષ્ટ્રપતિ સુધી પણ આવેદનપત્ર પહોંચાડ્યું છે